*કેન્દ્રના નવા ત્રણ કૃષિ કાયદા અને ખેડૂતોનો ડર.*
➡️ 1 - *ધ ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કોમર્સ કાયદો* : આ કાયદો ખેડૂતોને એપીએમસી માર્કેટ બહાર પણ પાક વેચવાની છુટ આપે છે. એપીએમસી સરકાર હસ્તક હોય છે.
ખેડૂતો ઇચ્છે તેને પોતાનો પાક વેચી શકે છે, જોકે કાયદો નહોતો ત્યારે પણ કોઈ ખેડૂતને એપીએમસી બહાર પાક વેચતા અટકાવતું નહોતું. જોકે એપીએમસી માર્કેટમાં ટેકાના ભાવે પાક ફરજિયાત ખરીદાય છે.
👉 *ખેડૂતોનો ડર* : ખેડૂતોને એવો ડર છે કે એપીએમસી માર્કેટ જ રદ થઇ જશે અથવા તેનું મહત્વ ઘટી જશે. આમ થવાથી ટેકાના ભાવ પણ ધીરે ધીરે નાબુદ થઈ જશે તો સાવ સસ્તા ભાવે અમારે પાક વેચવો પડશે અને તેનાથી રોકાણના નાણા પણ નહીં મેળવી શકીએ.
➡️ 2 - *ધ ફાર્મર્સ એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ અસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ બિલ* : હવેથી ખેડૂતોની સાથે પાક માટે કંપનીઓ કોન્ટ્રાક્ટ કરી શકશે. કોન્ટ્રાક્ટ પાક ઉગાડવવામાં આવે તે પહેલા જ થઈ જશે અને તેનાથી કંપનીઓને તેમજ ખેડૂતો બન્નેને ફાયદો થવાનો સરકારનો દાવો છે.
👉 *ખેડૂતોનો ડર* : આ કાયદા મુજબ જો કંપનીઓ કોન્ટ્રાક્ટ રદ કરી દે તો તેવી સ્થિતિમાં કલેક્ટર સુધી જ ફરિયાદની સત્તા ખેડૂતોને અપાઇ છે.એટલે કે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પણ નુકસાન ખેડૂતોને જ છે અને તેમને કોન્ટ્રાક્ટ બાદ કાયદાકીય રીતે કોઈ જ સુરક્ષા નથી આપવામાં આવી. આ ઉપરાંત આ કાયદાથી કોર્પોરેટ સેક્ટરને ઉઘાડી લૂંટ ચલાવવાનો પરવાનો મળી જશે.
➡️ 3 - *ધ એસેન્સિયલ કોમોડિટી એક્ટ* : જીવન જરૂરિયાતની વસ્તુઓના કાયદામાં સુધારા કરીને અનાજ, ખાધ્ય તેલ, દાળ, ડુંગળી, બટાકા વગેરે વસ્તુઓને આ એંક્ટમાંથી બહાર રખાઇ, વ્યાપારીઓ પર સ્ટોરેજની જે લિમિટ લગાવાઈ હતી તેને હટાવી લેવાઈ. જરૂર જણાય ત્યારે ફરી જુની વ્યવસ્થા સરકાર લાગુ કરી શકશે.
👉 *ખેડૂતોનો ડર* : કાયદામાં સુધારાથી માત્ર મોટી કંપનીઓ અને વ્યાપારીઓને જ ફાયદો, આ કંપનીઓ વધુ ઉપજ હોય ત્યારે સસ્તા ભાવે પાક ખરીદી લેશે અને મોટા જથ્થામાં સ્ટોર કરીને બાદમાં મોંઘાભાવે તેને વેચશે. તેનાથી ન તો આમ નાગરિકોને લાભ થશે કે ન તો ખેડૂતોને, સંગ્રહખોરી પણ વધશે ને મોંઘવારીનો માર ખેડૂતોની સાથે આમ નાગરિકો પર પણ પડશે.

0 Comments